દિયોદર હાઇવે પર ખુલી ગટર હોવાથી તંત્ર ની બેદરકારી આવી સામે

દિયોદર,

દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલ પાસે આવેલ ભૂગર્ભ ગટર માં વારંવાર અવારનવાર ગાય તેમજ આખલાઓ અંદર પડી જતા હોય છે. છતાં આજદિન સુધી ત્યાં ગટર ઉપર કોઈપણ પ્રકાર નું કામકાજ કરવામાં આવતું નથી. અગાઉ સમય પહેલા રાત્રી ના સમયે એક આખલા નું અંદર પડી જવાથી મોત થયું હતું.
આજરોજ એક ગાય અંદર પડી જતા સ્થાનિક લોકોને જાણ થતાં અખિલ ભારતીય ગૌરક્ષા મહાસંધ ના ઉપપ્રમુખ મોંન્ટુ પઢીયાર ને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ત્યાં પોતાના સાથી મિત્રો સાથે ત્યાં પહોંચી ગાય ને ભુર્ગભ ગટરમાંથી ભારી મહેનત બાદ આબાદ બચાવ કરી બહાર કાઢવામાં આવી હતી ત્યાર બાદ તેની સારવાર કરવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment